જ્યારથી કોઈ વસી ગયું છે મારા મનમાં;
ફરું છું ખોવાયો ખોવાયો મારા અંજુમનમાં.
કેવી રીતે ધોવું તમે કહો યારા, મને હવે;
લગાવ્યો છે દાગ દિલમાં, ન કે દામનમાં.
ખુદા જેવો ખુદા પણ તો જ ખુશ થાય છે;
કમબખ્ત એનેય જોઈએ છે શ્રદ્ધા નમનમાં.
કેટલાક કમસીન ઘાવ એવા હોય છે દોસ્ત;
આવવા લાગે મસ્ત મજા એનાં ખનનમાં.
સાકી, પડ્યો રહેવા દે એક ખૂણે મયખાને;
ઊતરી જાય બધો આલમ આવાગમનમાં.
ભવ સુધરી ગયો ને ભવસાગર તરી ગયો;
પીધું અમૃત ઇશ્કનું અધરોથી આચમનમાં.
વાયરો વિરહનો એવો વાયો ન પૂછો વાત;
લગાવી ગયો આગ મહોબ્બતનાં ચમનમાં.
તમે માનો યા ન માનો મારા વહાલા સનમ;
નટવર છે જ એવો, રહેશે તમારા મનનમાં.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું