મને વીસરી જવાનું પણ કોઈ કારણ હશે;
એમના શિર પર પણ કોઈક ભારણ હશે.
ક્યારેક છવાતી હશે મારા યાદની વાદળી;
એમની કથ્થઈ આંખોમાં ત્યારે શ્રાવણ હશે.
એમના શિર પર પણ કોઈક ભારણ હશે.
ક્યારેક છવાતી હશે મારા યાદની વાદળી;
એમની કથ્થઈ આંખોમાં ત્યારે શ્રાવણ હશે.
કહેવાનું હતું મારે જે એમને એ રહી ગયું;
એમની રાહમાં જ મારા ઘરનું આંગણ હશે.
ઘાયલ દિલ મારું ન સાચવી શક્યા એઓ;
સમજી ન શક્યા ‘એ’ અમૂલ્ય થાપણ હશે.
મોસમ બદલાય છે તો ભલે બદલાતી રહે;
યાદમાં એમની દિલમાં તો સદા ફાગણ હશે.
જો અર્થ અઢી અક્ષરનો સમજાય જાય તો;
એ અઢી અક્ષરમાં જ જિંદગીનું તારણ હશે.
દરદ-એ- દિલ વિશે શું કહેવું હવે નટવર?
મારી કવિતાઓ જ શાયદ એનું મારણ હશે.
એમની રાહમાં જ મારા ઘરનું આંગણ હશે.
ઘાયલ દિલ મારું ન સાચવી શક્યા એઓ;
સમજી ન શક્યા ‘એ’ અમૂલ્ય થાપણ હશે.
મોસમ બદલાય છે તો ભલે બદલાતી રહે;
યાદમાં એમની દિલમાં તો સદા ફાગણ હશે.
જો અર્થ અઢી અક્ષરનો સમજાય જાય તો;
એ અઢી અક્ષરમાં જ જિંદગીનું તારણ હશે.
દરદ-એ- દિલ વિશે શું કહેવું હવે નટવર?
મારી કવિતાઓ જ શાયદ એનું મારણ હશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું