એમ તો સહુ રસ્તા
પ્રભુ તરફ જ વળે છે;
મારો બેટો પ્રભુ તો
ય કદી ક્યાં મળે છે?
હવે કોને જઈને કહું
મારા દિલની વાત?
આજકાલ કોણ ધ્યાન
દઈને સાંભળે છે?
પાંપણોમાં સપનાની
અદાલત ભરાય છે;
અને સવાર પડે એ જ
સપનાંઓ છળે છે.
લાખ લાખ લોકમાં એક
નજર વસી ગઈ;
નજર, જે નજર મેળવી હળવેથી ઢળે છે.
જખમ પર મલમ
લગાવવાનું રહેવા દો;
એ મનપસંદ જખમો એથી
વધુ કળે છે.
સાકી ન જોઈશ તું
તાકી તાકી,જશે થાકી;
ખાલી નથી કર્યું મે
જામ, એ તો ગળે છે.
સમી સાંજે બેઠો છું
ડૂબતા સૂરજની સાખે;
યાદોનાં ધણનાં ધણ
ફરતે ટોળે વળે છે.
લખી નાંખે છે આ
નટવર એકાદ નજમ;
જ્યારે લીલીછમ
લાગણીઓ સળવળે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું