મારે મને જ એક વાર મળવું છે;
ને ખુદ તરફ જ પાછાં વળવું છે.
એ મદમસ્ત મચલતી શમા છે;
મારે પરવાનાની જેમ બળવું છે.
અલગ રાખ્યો જેમણે મને સૌથી;
એમની સાથેય મારે તો ભળવું છે.
જો કદી એ ગણગણે
એના સુરમાં;
તો હરેક શબ્દમાં મારે ઢળવું છે.
હોય છે એક મજા વિરહમાં પણ;
એમના ઇંતેજારમાં ટળવળવું છે.
આંસુની કિંમત ત્યારે જ સમજાશે;
અશ્રુ જળ બની આંખેથી ગળવું છે.
કદી અંધારું ન થાય એની રાહમાં;
બની એક દીવો મારે ઝળહળવું છે.
જખમ એણે આપ્યા તો મલમ પણ;
જખમ એણે આપ્યા તો મલમ પણ;
દરદ-એ-દિલ એથી સાવ હળવું છે.
સદા યાદ કરતા રહે સૌ નટવરને;
સદા યાદ કરતા રહે સૌ નટવરને;
આ દુનિયામાંથી એ રીતે ટળવું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું