આજ નહીં સનમ,
કદાચ તને કાલ સમજાશે;
આયનામાં તને તુ નહીં,
ચહેરો મારો દેખાશે.
રાતભર જાગતી રહેશે યાદમાં મારી તડપતા;
ગણવાને તને ઓછા પડશે તારાઓ આકાશે.
સખીઓ જો જોશે તારી રાતી મલાખી આંખોમાં;
એમને ત્યાં ય બધે જ મારી કવિતાઓ વંચાશે.
આજે ભલે કરતી રહે તું દાવો મને વીસરવાનો;
એક દિવસે તન્હાઈમાં તું જ મારી ગઝલો ગાશે.
લખશે જ્યારે જ્યારે નામ તારું ક્યાંય પણ તુ;
આપોઆપ તારા નામ પછી નામ મારું લખાશે.
આપોઆપ તારા નામ પછી નામ મારું લખાશે.
લાગશે દાહ અનોખો તારા રેશમી તનબદનમાં;
શ્રાવણના સરવરિયાંમાં જ્યારે એકલી ભીંજાશે.
સળગાવ્યો દીવો મારી વફાનો તારી રાહ પર;
ચાલી નીકળ તું પણ હવે એના પ્રકાશે પ્રકાશે.
ન પૂછ કેમ નથી પુસ્તક નટવરની કવિતાઓનું;
એ કવિતાઓ તો યાર દોસ્તના દિલોમાં સચવાશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું