જખમ પારાવાર આપી મને એઓ બહુ વિચાર કરે છે;
રાહ જોતો રહ્યો હું,
એઓ ક્યારે મારો ઉપચાર કરે છે?
ઇશ્ક ન કરીયો કોઈ,
કરીયો તો કિસીપે મરીયો ન કોઈ;
કમબખ્ત જીવતેજીવ કોઈ પર મરવા એ લાચાર કરે છે.
આવે જો એઓ મારી મૈયતમાં તો મને અડવા ન દેશો;
જીવતો થઈ જઈશ હું, સ્પર્શ એનો પ્રાણ સંચાર કરે છે.
વાયે વાયે જો વાત વહેશે વાતનું ય થઈ જશે વતેસર;
ટેવ લોકોની,નાની
નાની વાતમાં મોટો ચકચાર કરે છે.
બે દિલ મળે તો એક થાય એ વાત કેવી રીતે સમજાવું?
હોય એવાંય ઘણા નાદાન અમસ્તાં બે ને બે ચાર
કરે છે.
શીશ તારું ય ભગવાન શરમથી ઝૂકી જતું હશે વારંવાર;
જ્યારે તારા નામે પ્રપંચીઓ અવનિ પર દુરાચાર કરે છે.
દોસ્તો અમસ્તાં નથી કહેતા કમાલનો છે આ નટવર પણ;
કર્યો છે જેણે એને ઘાયલ એ જ પ્રેમનો એ પ્રચાર કરે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું