એ મને યાદ કરે તો જીવને થોડી હાશ રહે છે;
એ મને વીસરે ત્યારે દિલ થોડું ઉદાસ રહે છે.
એવું સાવ અચાનક થઈ જાય છે સૌની સાથે;
લાખ લાખ લોકોમાં કોઈ એક જ ખાસ રહે છે.
કેટલાંય ફૂલોની ખબર લઈ આવ્યો છે ભમરો;
ન જાણી શક્યો એ,ફૂલોમાં
ક્યાં સુવાસ રહે છે?
જોજનો સાથ ચાલી સાવ અજાણ્યા રહી જાય;
એવા ય કેટલાકની જિંદગીમાં પ્રવાસ રહે છે.
મંદિર,
મસ્જિદ, દેવળ, ગુરુદ્વારા બંધ
કરી દો;
તો ખબર પડશે દિલમાં પ્રભુનો વાસ રહે છે.
જિંદગી એનું જ તો નામ છે ઓ દોસ્ત મારા;
બધું મળી જાય તોય કંઇકની તલાશ રહે છે.
મારા દોસ્તોએ બહુ છેતર્યો છે હસી હસીને મને;
દુશ્મનો પર એટલે જ હવે વધુ વિશ્વાસ રહે છે.
આમ તો છે સાવ અઢી અક્ષરનો જ શબ્દ પ્રેમ;
અઢી અક્ષરમાં માનવજાતનો ઇતિહાસ રહે છે.
કંઈ નથી નટવરની આ કવિતાઓ, આ કવનો;
એમાં ફક્ત લીલીછમ લાગણીનો પ્રાસ રહે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું