તમે તો જતા રહ્યા દવ દિલમાં લગાવીને;
કેવી રીતે નીકળું હવે હું ખુદને બચાવીને?
કેદ કરી દીધો મને આપના ઉરની અંદર;
કહો તો ખરા ક્યાં ફેંકી દીધી છે ચાવીને?
મેં સહજ હાથ મેળવ્યો હતો આપની સાથે;
જતા જતા તમે તો લઈ ગયા મારા ભાવિને.
ડૂબી જશો એક દિ ખુદ આંસુના દરિયામાં;
યાદમાં મારી આંખોમાં આંસુંઓ છલકાવીને.
નથી રાત પડતી નથી દિવસ ઊગતો હવે;
ગયા છો તમે મારો સમય સાવ અટકાવીને.
ભલે કહેતો રહે ગુલઝાર દિલ તો બચ્ચા હૈ;*
દિલ મારું નથી માનતું, મેં જોયું સમજાવીને.
લઈ રહ્યા છો આ કેવી મજા તમે રોજ રોજ?
આમ નવી કવિતા નટવર પાસે લખાવીને!
(*ગુલઝારજીની બેમિસાલ રચના दिल तो बच्चा है जी…ના સંદર્ભમાં)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું