મહેફિલમાં ગયો, હું કોઈને કામ ન આવ્યો.
શાકી મારા સુધી આજ તારો જામ ન આવ્યો.
ફેઈસબુક પર આજ એનો શ્યામ ન આવ્યો!
કનૈયાનો આજ કોઈ પયગામ ન આવ્યો!
વર્ડપ્રેસ જોયા ને બ્લોગસ્પોટ ખંખોળ્યા
મારા જેવો ત્યાં કોઈ બદનામ ન આવ્યો.
પુરી થઈ જિંદગી, કોઈ મુકામ ન આવ્યો.
હું નટવર મહેતા આવડે તેવી કવિતા-ગઝલો લખું છું. અલબત્ત, મને છંદ કે કવિતાના વ્યાકરણ,બંધારણની ખાસ ગતાગમ નથી !! પણ દિલની વાતોમાં વ્યાકરણ ના આવે..દિલની વાતો તો દિલ સુધી પહોંચવી જોઇએ..ને મનમાં ઉતરવી જોઇએ..બરાબરને??
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું