અરે! આ પણ સાલી કેવી જિંદગાની છે?
કોઈના વિના જીવવું જાણે માનહાનિ છે.
રહેવા દો મારા જખમોની દવા કરવાનું;
ઇશ્કમાં મળેલ એ મહામૂલ્ય નિશાની છે.
હું ભૂલતો નથી, એ યાદ નથી રાખતા;
બસ આ જ નાનકડી મારી પરેશાની છે.
હું ય જાણું કે મારી જવાની જવાની છે;
જ્યારે જાય,એમના તરફ જ જવાની છે.
આંખોમાં એમની ઊછળે સ્નેહનો સમંદર;
પાણીદાર આંખો એમની આસમાની છે.
વખત જતા બધું જ વીસરાય જવાય છે;
વખતની આ જ એક મોટી મહેરબાની છે.
ઇશ્ક વિશે શું સમજાવે નટવર તને યાર?
એ પણ એ બાબતે હજુ સાવ અજ્ઞાની છે.
કોઈના વિના જીવવું જાણે માનહાનિ છે.
રહેવા દો મારા જખમોની દવા કરવાનું;
ઇશ્કમાં મળેલ એ મહામૂલ્ય નિશાની છે.
હું ભૂલતો નથી, એ યાદ નથી રાખતા;
બસ આ જ નાનકડી મારી પરેશાની છે.
હું ય જાણું કે મારી જવાની જવાની છે;
જ્યારે જાય,એમના તરફ જ જવાની છે.
આંખોમાં એમની ઊછળે સ્નેહનો સમંદર;
પાણીદાર આંખો એમની આસમાની છે.
વખત જતા બધું જ વીસરાય જવાય છે;
વખતની આ જ એક મોટી મહેરબાની છે.
ઇશ્ક વિશે શું સમજાવે નટવર તને યાર?
એ પણ એ બાબતે હજુ સાવ અજ્ઞાની છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું