માણસ તો માણસ છે,
બસ એ ચકચાર કરે;
પંખીઓ પાસે ન શીખે, જેઓ મંત્રોચ્ચાર કરે.
લાગણી લાગણી રમે છે શરૂઆતમાં માણસ;
અને પછી માગણી માગણી રમી લાચાર કરે.
એમ તો અઢી અક્ષરને
કહેતા કેટલી વાર?
કહેવું કે ન કહેવું?
કહેતાં એ બહુ વિચાર કરે.
વા વાયો અને ક્યાંક
નળિયું જો સહેજ ખસ્યું;
નાની વાતનાં ય મોટા મોટા સમાચાર
કરે.
કદી ન બોલાવશો
સનમને મારી મૈયતમાં;
એનો સ્પર્શ છે જ
એવો જે પ્રાણ સંચાર કરે.
ઓ ખુદા તારી
ખુદાઈને આ તે શું થયું છે?
તું નથી ક્યાંય ને
કેમ સૌ તારો પ્રચાર કરે?
ઇશ્કની મીઠી મીઠી
વાત ન કર નટવર હવે;
ફાની જહાંમાં ક્યાં
કોઈ સાચો પ્યાર કરે છે?
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું