પ્યાર
મારો એ જ પૂજાનો સાચો પર્યાય છે;
ને
આપણે ય ક્યાં કોઈ બીજો વ્યવસાય છે?
તારો
હાથ પકડી બેસી રહેવું સવાર- સાંજ;
એ જ
સમન,મારો તો સદાનો સ્વાધ્યાય છે.
મારી
વાત તું માને કે ન માને ઓ સનમ;
જીવનમાં
મારા તારો પણ એક અધ્યાય છે.
તારી
નજરે મારી નજરને એવું તે શું કર્યું?
જ્યાં
જ્યાં નજર કરું, તું જ
મને દેખાય છે.
નશો
નથી થતો કશો હવે મને આ શરાબથી;
ખુમાર
ત્યારે થાય જ્યારે આંખોથી તું પાય છે.
ભલે
તું કહે ન કહે જાહેરમાં તારી સખીઓને;
પણ
મનોમન મને યાદ કરી તું હરખાય છે.
કોણ
જાણે કોણ કેવું છે એ કેવી રીતે જાણવું?
આ માણસ
નટવર ક્યાં કદીય પરખાય છે?
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું