આ હવા જે રીતે વાતાવરણમાં રહે છે;
એમ સનમ, તું મારા સ્મરણમાં રહે છે.
ઝાંઝવાંના જળ સુકાય ગયા લાગે છે;
એથી તો એ ધગધગતા રણમાં રહે છે.
ભલે ઠેર ઠેર પથરાયો છે અનંત રસ્તો;
તો ય હરદમ એ મારા ચરણમાં રહે છે.
પાલવમાં તારો ચહેરો કેવો લાગે કહું?
જાણે ચાંદ ખંડગ્રાસ ગ્રહણમાં રહે છે.
મંદિર મસ્જિદ ગુરુદ્વાર દેવળે ન જાઉં;
ઈશ્વર,અલ્લા,ઈશુ તો કણકણમાં રહે છે.
કોણ કહે કે સમય ક્યાં ય ટકતો નથી?
ક્યાં ય નહીં, સમય હર ક્ષણમાં રહે છે.
ન લગાવશો કોઈ મલમ સનમ હવે;
મીઠું દર્દ આપે આપેલ વ્રણમાં રહે છે.
શું છે નટવર તારી નજમ?કવિતાઓ?
જ્યાં સ્નેહ શબ્દોના આવરણમાં રહે છે.
એમ સનમ, તું મારા સ્મરણમાં રહે છે.
ઝાંઝવાંના જળ સુકાય ગયા લાગે છે;
એથી તો એ ધગધગતા રણમાં રહે છે.
ભલે ઠેર ઠેર પથરાયો છે અનંત રસ્તો;
તો ય હરદમ એ મારા ચરણમાં રહે છે.
પાલવમાં તારો ચહેરો કેવો લાગે કહું?
જાણે ચાંદ ખંડગ્રાસ ગ્રહણમાં રહે છે.
મંદિર મસ્જિદ ગુરુદ્વાર દેવળે ન જાઉં;
ઈશ્વર,અલ્લા,ઈશુ તો કણકણમાં રહે છે.
કોણ કહે કે સમય ક્યાં ય ટકતો નથી?
ક્યાં ય નહીં, સમય હર ક્ષણમાં રહે છે.
ન લગાવશો કોઈ મલમ સનમ હવે;
મીઠું દર્દ આપે આપેલ વ્રણમાં રહે છે.
શું છે નટવર તારી નજમ?કવિતાઓ?
જ્યાં સ્નેહ શબ્દોના આવરણમાં રહે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું