ખુદાએ જે કંઈ આપ્યું મને એની કરી છે
લહાણી;
જિંદગી એવી રીતે જીવ્યો જાણે હર પળ
ઉજાણી.
બહુ સાચવીને રાખ્યા આંસુને આંખની
તિજોરીમાં;
છે ભલે એ નમકીન, બહુ કિંમતી છે
આંસુનું પાણી.
સમજાતા સમજાતા જ એ સમજાય છે સહુ કોઈને;
જિંદગીમાં ઇશ્ક નથી કર્યો,જીવન એનું ધૂળધાણી.
રાહ-એ-જિંદગી ત્યારે જ આસાન થઈ જાય
સનમ;
હર કદમ પર જો હાથમાં મારા હોય તમારો
પાણિ.
સહુ જાણીતાંઓએ એટલો ઠગ્યો છે સર- એ-
રાહ;
હવે મને પ્રિય લાગે વ્યક્તિ હોય જે
સાવ અજાણી.
સમજવાનું ન સમજે એ કદી, ન સમજવાનું સમજે;
ને કહેવાય એ ચતુર,આ માનવી છે વિચિત્ર
પ્રાણી.
લખતા લખતા કેવી લખી છે ભગવાને આ
વાર્તા?
હર કોઈ જિંદગી જાણે છે એક અધૂરી
પ્રેમકહાણી.
દરદ-એ-દાસ્તાં પણ નટવર કેવાં કેવાં
રંગે લાવે?
હતું જેમાં વધુ દર્દ, એ જ કવિતા મેહફિલે
વખાણી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું