આખી જિંદગીભર
કરતો રહ્યો જેની જાંચ;
એ જ લઈને આવ્યા
છે લાગણી પર ટાંચ.
કોરુંકટ તકદીર
રાખ્યું પ્રભુએ છઠ્ઠીના દિને;
દુનિયા આખીને
કહેતો ફરું હું “તું એ
વાંચ.”
માને તો માની જાય, અને માને તો ન જ;
રોજ હું આપું
એમને મારી કવિતાની લાંચ.
કેટલાંક રેશમી
સંબંધો હોય છે કાચ જેવા;
ક્યાંક અથડાય તો
પડી જાય એમાં ખાંચ.
આખરી સફરે જવા
જરૂરી નથી વધુ માણસ;
ચાર ખભા અને
નનામી પર હું,બસ છે
પાંચ.
ઘાયલ દિલમાં એ જ
હામ રાખી ફરે નટવર;
સત્યમેવ જયતે, સાંચકો ન આવે કદી
આંચ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું