ઓ યારો સમજાવો મને એક બાબત;
કરું હું ઇશ્ક કે
પછી કરું હું ઇબાદત?
માનો ય ન માનો પણ છે એ હકીકત;
આ જિંદગીની તો એક જ ધરી-ચાહત.
મારે તો સરખાં બન્ને,ખુદા અને
સનમ;
બેમાંથી એક મળે તો થઈ જાય રાહત.
હું જ ખુદને રોજ રોજ છેતરતો રહ્યો;
કહો કરવી કોને મારે એની શિકાયત?
ટકી ગયો છું હું
ભવની ભવાટવીમાં;
ખુદા કહે છે કોની મારા પર ઇનાયત?
આજે ભલે એઓ ચાહે છે,
કાલનું શું?
કોણ જાણે ક્યારે બદલાય જાય દાનત!
કર્યો છે ઉમરકેદ મને એમનાં દિલમાં;
છોડાવો યારો મને આપી કોઈ જમાનત.
આ જિંદગી પણ આપણી ક્યાં હોય છે?
હોય છે એ પણ કેટલાંયની અમાનત.
દિલ હતું કાચનું,
એક દિ તૂટવાનું હતું;
ખુશી મનાવો,નથી એ
કોઈ મોટી શામત.
લખી નાંખે જ્યારે એકાદ નજમ નટવર;
થઈ જાય છે ઘાયલ દિલને થોડી રાહત.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું