જે ડાળ કદી તૂટવાની જ છે એના પર માળો ન કર;
તું સગપણો અને સંબંધોં સાંધવામાં ગોટાળો ન કર.
તું સગપણો અને સંબંધોં સાંધવામાં ગોટાળો ન કર.
માંડ માંડ થયું છે શાંત જળ મારા માનસ સરોવરનું;
વિચારોમાં સાવ અચાનક આવી કાંકરીચાળો ન કર.
વિચારોમાં સાવ અચાનક આવી કાંકરીચાળો ન કર.
વહેવા દે આંસુના ઝરણાંને તારી યાદમાં સતત હવે;
તારા ઊનાં ઊનાં નિઃસાસાથી એના પર પાળો ન કર.
તારા ઊનાં ઊનાં નિઃસાસાથી એના પર પાળો ન કર.
બાદબાકી કે ભાગાકાર જ જો કરવા હોય હેતના તારે;
તો પછી રહેવા દે, ખયાલી સુખોનો સરવાળો ન કર.
તો પછી રહેવા દે, ખયાલી સુખોનો સરવાળો ન કર.
સીધો સાદો માણસ જેવો માણસ રહેવા દે નટવરને;
તારી નજરોથી નચાવી નાચ એને તરગાળો ન કર.
તારી નજરોથી નચાવી નાચ એને તરગાળો ન કર.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું