મને એઓ યાદ કર્યા
કરે સાવ સીમાપાર કરીને;
કહો, હવે શું કરવું
મારે એમને સાથીદાર કરીને.
મળે છે તો હસે છે
અને ઢાળી દે નશીલાં નયનો;
લે છે મજા એઓ આવો ઠાલો શિષ્ટાચાર કરીને.
થતા થતા થઈ જાય
છે સનમ પ્યાર સૌ કોઈને;
નથી કરતું કોઈ
પ્યાર તમારી જેમ વિચાર કરીને.
જેવો છું એવો
આપનો છું અને રહીશ જિંદગીભર;
અજમાવી જુઓ મારી
લાગણીનો અંગીકાર કરીને.
છે એક સરખાં
પથ્થર મંદિર,મસ્જિદ
ને દેવળમાં;
પ્રભુ નિરાંતે
બેઠો છે બધે શ્રદ્ધાનો વિસ્તાર કરીને.
દેશસેવાની કેટલી
ય નવી નવી રીતો છે હવે તો;
સેવા કરી મેળવે
છે મેવા નેતા ભ્રષ્ટાચાર કરીને.
કોણ જાણે કયા
વેશમાં મળી જાય પ્રભુ કોને ખબર?
એટલે તો નટવર
સહુને મળતો રહે નમસ્કાર કરીને.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું