સળગ્યા રાખે છે મારા દિલમાં એક તાપણું;
કેવી રીતે જાણું?કોણ પરાયું, કોણ આપણું?
ખોવાયો ગયો છું હું એના ખયાલોમાં એવો;
મારા ગામમાં મને જડતું નથી મારું આંગણું.
ક્યારે આવે, ક્યાંથી આવે મોત કોને ખબર;
લો,મેં તો ભાઈ ખુલ્લું રાખ્યું છે મારું બારણું.
નથી બીજી કોઈ મનમોહિની એના જેવી;
ઘડી એને પ્રભુએ તો ફેંકી દીધું હતું ટાંકણું.
જાગતી રાતો ને આવતી એની આ યાદો;
કોણ ઝુલાવ્યા કરે છે એની યાદોનું પારણું?
સમજદારોને તો એક ઇશારો પૂરતો હોય છે;
એક ઇશારાથી કહેવાય જાય થોડામાં ઘણું.
શાકી બે બુંદ રેડી દે મારા ગળતા જામમાં;
શરાબ વિના આ જીવવું લાગે અળખામણું.
નટવરના સપનામાં આવે બોલાવ્યા વિના;
રૂબરૂ આવી જીવનમાં બનાવ એ સોહામણું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું