મોતને મુઠ્ઠીમાં લઈને ફરું છું;
તો ય મોત તારાથી હું ડરું છું.
રોજ પાર કરી સમયની નદી;
શ્વાસના તણખલે એ હું તરું છું.
હવે તો એ ય વીસરી ગયો છું;
હર પળ હું કોને આમ સ્મરું છું?
આંસું સિવાય નથી કોઈ મતા;
લો, સનમ એ આપને ધરું છું.
કહેવાની કોઈ જરૂર છે ખરી?
આપના પર હું રોજ મરું છું!
શું કરે નટવર તન્હાઈમાં કહો;
યાદમાં આપની કવિતા કરું છું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું