શબ્દો ઓછા પડશે, મૌનનો તું અનુવાદ ન કર;
નજરો જો વાત કરે તો ઠાલા તું સંવાદ ન કર.
સુખના હોય એક દુઃખના એ ખારા જ હોય છે;
વહેવા દે, વહેતા આંસુઓનો તું સ્વાદ ન કર.
સૂતો છે, સુવા દે ભગવાનને નિરાંતે મંદિરમાં;
મંદિરે વારે વારે સવાર સાંજ તું ઘંટનાદ ન કર.
બહેરો છે ફોજદાર ને સાવ આંધળો ન્યાયાધીશ;
કોણ કરશે હવે ન્યાય? ખોટી તું ફરિયાદ ન કર.
ક્યાં કદી એ જવાબ આપે છે કે તને આપશે એ;
આયના સાથે તન્હાઈમાં તું વાદ વિવાદ ન કર.
વીસરી જવાનું કહી નીસરી ગયા નટવર એ તો;
વીસરી જે ગયા, એને નિશદિન તું યાદ ન કર.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું